Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

પડધરીના ‘અકિલા’ના પત્રકાર મનમોહનભાઇ બગડાઇની સુપુત્રીના શુભલગ્ન : ચિ.હેતલ -ચિ.વિશાલ

 

રાજકોટઃ રાજકોટ જીલ્લાના પડધરીના અકિલાના પત્રકાર, સરપદડના વતની તથા લોહાણા અગ્રણી શ્રી મનમોહનભાઇ જયંતીલાલ બગડાઇ અને અ. સૌ.ચેતનાબેન બગડાઇના સુપુત્રી ચિ.હેતલનાં શુભલગ્ન આમરણ નિવાસી હાલ રાજકોટ શેઠ શ્રી દિલીપકુમાર કાંતીલાલ ભોજાણી અને અ.સૌ. શોભનાબેન ભોજાણીના સુપુત્ર ચિ.વિશાલ સાથે તા.ર૯-૧૧-ર૦ર૧ ને સોમવારે શ્રી કેશરીયા લોહાણા મહાજન વાડી સંકિર્તન મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે નિરધારેલ છે.

તા.ર૮-૧૧-૨૧ને રવિવારે સાંજે ૭.૩૦ વાગ્યે માળારોપણ અને સાંજીના ગીત, તા.ર૯-૧૧-ર૧ને સોમવારે સવારે ૭ વાગ્યે મંડપ મુહુર્ત સવારે ૧૦.૩૦ વાગ્યે જાનનું આગમન બપોરે ૧.પ૧ વાગ્યે હસ્તમેળાપ તથા બપોરે ૧ વાગ્યે આમંત્રીતો માટે બગડાઇપરીવાર  દ્વારા ભોજન સમારંભનું આયોજન કરાયું છે.

શુભલગન્ માટે સ્વ.ગોરધનદાસ હરીભાઇ બગડાઇ, સ્વ.કેશરબેન ગોરધનદાસ બગડાઇ, સ્વ.જયંતીલાલ ગોરધનદાસ બગડાઇ, સ્વ.રેવાબેન જયંતીલાલ બગડાઇ, સ્વ.વનરાવનદાસ મથુરદાસ હીન્ડોચા, સ્વ.કંચનબેન વનરાવનદાસ હીન્ડોચા, સ્વ.ગૌરીબેન રવિભાઇ રામવાણીએ અંતરીક્ષમાંથી આશીર્વાદ પાઠવ્યા છે.

આમંત્રીતોને ઉંપસ્થિત રહેવા પડધરી અકિલાના પત્રકાર શ્રી મનમોહનભાઇ જયંતીલાલ બગડાઇ, અ.સૌ. ચેતનાબેન મનમોહનભાઇ બગડાઇ, શ્રી હેમલભાઇ મનમોહનભાઇ બગડાઇ, અ.સૌ. મયુરીબેન હેમલભાઇ બગડાઇ, શ્રી રવિભાઇ નાથાલાલ રામવાણીએ આમંત્રણ પાઠવ્યું છે. મો. ૯૭રપ૦ પ૪૬૭૪, મો. ૯૪ર૬ર પ૪૬૭૪.

(10:45 am IST)