Gujarati News

Gujarati News

News of Friday, 6th March 2020

મહેંદી લગાકે રખના, ડોલી સજાકે રખના, લેને તુજે આયેંગે તેરે સજના...

કિશોરભાઈ વણઝારાના સૂપૂત્રના શુભલગ્નઃ ચિ. રવિ - ચિ. માધુરી

રઘુવંશી ફરસાણ એન્ડ નમકીનવાળા પરિવારમાં હરખના તેડા

રાજકોટઃ રઘુવંશી ફરસાણ એન્ડ નમકીનવાળા (શ્રધ્ધા સોસાયટી, શ્યામ હોલ સામે, હરિ ધવા માર્ગ) વણઝારા પરિવારના આંગણે રૂડા લગ્નોત્સવના ઢોલ વાગ્યા છે. શ્રીમતી હીનાબેન તથા શ્રી કિશોરભાઈ મનસુખભાઈ વણઝારાના સૂપૂત્ર ચિ. રવિના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી કૈલાશબેન તથા શ્રી કનૈયાલાલ કેશવલાલ કોટેચાની સૂપૂત્રી ચિ. માધુરી સાથે તા. ૧૨ માર્ચ ૨૦૨૦ ગુરૂવારે લોહાણા મહાજનવાડી, સાંગણવા ચોક ખાતે નિર્ધારેલ છે. ચુંદડી ઓઢાડવાની વિધિ સવારે ૯ વાગ્યે અને હસ્ત મેળાપ બપોરે ૧૨.૩૦ વાગ્યે રાખેલ છે. પૂર્વ દિને તા. ૧૧ બુધવારે સવારે તે જ સ્થળે ચિ. રવિ તથા ચિ. આયુષને યજ્ઞોપવિત ધારણ કરાવવાનો પ્રસંગ રાખેલ છે. કાશીયાત્રા બપોરે ૧૨.૧૫ કલાકે અને ત્યાર બાદ ભોજન સમારંભ યોજેલ છે. (મો. ૯૦૩૩૯ ૨૦૯૧૧-રાજકોટ)

(11:29 am IST)