Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

'અકિલા'ના પત્રકાર રણજીતસિંહ ચૌહાણના સુપુત્રના શુભલગ્નઃ ચિ.ચિન્મય - સૌ.કાં.જેનિકા

રાજકોટ : અ.સૌ.ફાલ્ગુનીબેન તથા 'અકિલા'ના પત્રકાર શ્રી રણજીતસિંહ નટવરસિંહ ચૌહાણના સુપુત્ર ચિ.ચિન્મયના શુભલગ્ન અ.સૌ.મધુબેન તથા શ્રી ધીરજભાઈ બળવંતભાઈ ડોડીયાની સુપુત્રી સૌ.કાં.જેનિકા સાથે તા.૨૫ના મંગળવારના શુભદિને વૈદિક વિધિથી લગ્ન સંસ્કારથી જોડાઈને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરશે. સાંજીના ગીત ૨૪મીએ સોમવારે બપોરે ૩ વાગે બાદ રૂડા મામેરા થશે. તે જ દિવસે સાંજે ૭:૩૦ વાગ્યાથી સ્વરૂચી ભોજન બાદ દાંડીયારાસ રાખેલ છે. આ અવસરે ચિ.ચિન્મયના દાદા- દાદીના દાંપત્યજીવનનો સુવર્ણજયંતિ વર્ષ અને માતા- પિતા દાંપત્યજીવનની રજત જયંતિ વર્ષ પણ ધામધુમથી ઉજવવામાં આવશે.(શ્રી રણજીતસિંહ ચૌહાણ મો.૯૮૯૮૬ ૨૫૨૩૫)

(11:23 am IST)