Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પરમાર પરિવારમાં શુભલગ્ન : ચિ. શુભમ - ચિ. પૂજા

રાજકોટઃ- શ્રીમતિ શિલ્પાબેન અને શ્રી મનસુખભાઇ પરમારના સુપુત્ર ચિ. શુભમના શુભલગ્ન જુનાગઢ નિવાસી અ.સૌ. સુમિતાબેન અને શ્રી જયેશભાઇ હસમુખભાઇ હણસોરાની સુપુત્રી ચિ. પુજા સાથે તા. ૨૪-૨-૧૯ને રવિવારે નિરધારેલ છે.

તા.૨૩ને શનિવારે બપોરે ૨ વાગ્યે સાંજીના ગીત, બપોરે ૩ વાગ્યે મંડપપરોપણ, રાત્રે ૮ વાગ્યે દાંડીયારાસ તથા તા.૨૪ને રવિવારે સવારે પઃ૩૦ વાગ્યે જાન પ્રયાણ થશે. બપોરે ૧૧:૩૦ વાગ્યે હસ્તમેળાપ જયેશભાઇ હસમુખભાઇ હણસોરા, લુહાર જ્ઞાતિની વાડી, ૧૫-સ્ટેશન પ્લોટ, કોલેજ ચોક, ગોંડલ ખાતે યોજાશે.

જયારે તા.૨૩ને શનિવારે સાંજે ૬ વાગ્યે શુભ નિવાસ સ્થાન ''વિવેક''ન્યુ લક્ષ્મી સોસાયટી શેરી નં.૧, ૧૫૦ ફૂટ રીંગ રોડ, પટેલ બોડીંગ પાછળ, બાલાજી હોલ, રાજકોટ ખાતે આમંત્રિતો માટે પરમાર પરિવારે ભોજન સમારંભ યોજેલ છે.(૨૨.૪)

 

(12:20 pm IST)