Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ચંદ્રમોહનભાઈ આશર પરિવારના આંગણે ઢોલ ધ્રબુકયાઃ ચિ.સિધ્ધાર્થ - ચિ.રીમા

રાજકોટ : પુષ્પાબેન તથા ધિરજલાલ હરીદાસભાઈ આશરના પૌત્ર તેમજ અ.સૌ. જયોતિબેન તથા શ્રી ચંદ્રમોહનભાઈ ધીરજલાલ આશરના સુપુત્ર ચિ.સિધ્ધાર્થના શુભલગ્ન ભાયાવદર નિવાસી તારાબેન તથા લક્ષ્મીદાસભાઈ ઉદેશીની પૌત્રી તેમજ અ.સૌ.નિતાબેન તથા શ્રી વિનોદભાઈ લક્ષ્મીદાસભાઈ ઉદેશીના સુપુત્રી ચિ.રીમા સાથે આવતીકાલે તા.૧૯ના શનિવારના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે આજે શુક્રવારે સાંજે ૭:૧૫ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે. (મો.૯૪૨૮૦ ૩૬૬૭૭)

(11:28 am IST)