Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

નિવૃત મદદનીશ પો.કમિશનર-હેરીટેજ રીસોર્ટના સ્વપ્ન દ્રષ્ટા

ભરતસિંહજી સરવૈયા પરિવારના આંગણે શરણાઇના સૂરો ગુંજયા

અરૃંધતી કુમારીબા - કુમાર ક્રિષ્નાદિત્યસિંહ

રાજકોટઃ નિવૃત મદદનીશ પોલીસ કમિશ્નર અને રાજપુત સમાજના અગ્રણી તથા હેરીટેજ રિસોર્ટ (જુનો ભમ્મરીયા સ્ટેટ) ના સ્વપ્ન દ્રષ્ટા ભરતસિંહજી સરવૈયા   (મૂળ કેશવાડા (ગોંડલ પંથક- હાલ વડોદરા) તથા અ.સૌ.મૃદુલાબાના ગ્રાન્ડ ડોટર તથા અ.સૌ.દિપ્સીકાબા અને અજયસિંહ સરવૈયાના સુપુત્રી અરૃંધતી કુમારીબાના શુભલગ્ન  ઠાકોર સાહેબ ડો.સંગ્રામસિંહજી રાઠોડ ઓફ રાઉટી (એમ.પી.) હાલ ઇન્દોરના સુપુત્ર  કુમાર શ્રી ક્રિષ્નાદિત્યસિંહજી સાથે રવિવાર તા. ૯ના રોજ શિવાય ફાર્મ, સેવાસી કેનાલ પાસે, અંકોડીયા રોડ, વડોદરા ખાતે યોજાયા છે.

હસ્તમેળાપ રાત્રે ૧૦.૪પ  કલાકે તથા ભોજન સમારોહ રાત્રે ૮.૩૦ કલાકે થશે. મહેમાનોનું સ્વાગત ભરતસિંહજી સરવૈયા તથા અજયસિંહ સરવૈયા, પ્રદીપસિંહ સરવૈયા તથા હર્ષાદિત્યસિંહ તથા શુભેચ્છકો  દ્વારા કરવામાં આવશે. (૪.૭)

(11:46 am IST)