Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

બાબરા મુકુંદરાય જસાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ. શુભમ ù ચિ. પ્રિયા

રાજકોટ : બાબરાના શ્રીમતી આરતીબેન તથા શ્રી જીતેષભાઇ (કાળુભાઇ) મુકુંદરાય જસાણીના સુપુત્ર ચિ. શુભમના શુભલગ્ન બાબરા નિવાસી શ્રીમતી મીનાબેન તથા શ્રી વિનોદભાઇ પરસોતમભાઇ પોપટના સુપુત્રી ચિ. પ્રિયા સાથે તા. ૧૪ ને શનિવારે નિરધારેલ છે.

માંગલિક પ્રસંગોમાં તા. ૧૩ ને શુક્રવારે સવારે ૯ વાગ્‍યે શ્રી જલારામ મંદિર, બાબરા ખાતે માળારોપણ, ૧૦-૩૦ વાગ્‍યે મંડપ મુહુર્ત, સાંજે પ વાગ્‍યે પીઠી-સાંજી, રાત્રે ૯ વાગ્‍યે દાંડીયા રાસ, તથા તા. ૧૪ ને શનિવારે સવારે ૮ વાગ્‍યે શ્રી જલારામ મંદિરેથી જાન પ્રસ્‍થાન થશે.

બાબરાની ન્‍યુ બજાર, શ્રી લોહાણા મહાજન વાડી ખાતે તા. ૧૪ ને શનિવારે સવારે ૯ વાગ્‍યે ચૂંદડીની વિધી તથા બપોરે ૧ર.૩૦ વાગ્‍યે હસ્‍ત મેળાપ વિધી કરાશે.

આમંત્રિતોને શુભલગ્ન પ્રસંગે ઉપસ્‍થિત રહેવા ઠા. મુકુંદરાય દામોદરદાસ જસાણી, શ્રીમતી હંસાબેન મુકુંદરાય જસાણી, અ. સૌ. આરતીબેન જીતેષભાઇ જસાણી, જીતેશભાઇ મુકુંદરાય જસાણી, અ. સૌ. એકતાબેન તુષારભાઇ જસાણી, તુષારભાઇ મુકુંદરાય જસાણી, અ. સૌ. નિરાલીબેન હિતેનભાઇ જસાણી, હિતેનભાઇ મુકુંદરાય જસાણી પરિવારે આમંત્રણ પાઠવ્‍યુ છે. મો. ૭૩૮૩પ ૪૩૧૮૬, મો. ૮૪૮૮૮ પ૬૦૯૮

(12:06 pm IST)