Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

ખીરસરા(રણમલજી)ના ‘અકિલા'ના પત્રકાર ભીખુપરી ગોસાઇના સુપુત્રના શુભલગ્નઃ ચિ.નિખીલપરી : ચિ.બિના

રાજકોટ :.. લોધીકા તાલુકાના ખીરસરા (રણમલજી)ના ‘અકિલા' ના પત્રકાર ભીખુપરી મોહનપરી ગોસાઇ અને કૈ. વા. અનસોયાબેન ગોસાઇના સુપુત્ર ચિ.નિખીલપરીના શુભલગ્ન તા.ર૭ ને શુક્રવારે ખોખરા મહાદેવ (હાલ રાજકોટ) નિવાસી કિશોરગીરી તિર્થગીરીગૌસ્‍વામી અને કૈ. વા. ભારતીબેન ગોસ્‍વામીના સુપુત્રી ચિ. બિના સાથે નિરધારેલ છે.

તા. ર૬ ને ગુરૂવારે સવારે ૭ વાગ્‍યે મંડપરોપણ, બપોરે ૧૧.૩૦ વાગ્‍યે ભોજન સમારંભ ખીરસરા તેમના નિવાસ સ્‍થાને છે. સાંજે ૯ વાગ્‍યે વરઘોડો નીકળશે.

તા.ર૭ ને શુક્રવારે સવારે ૬ વાગ્‍યે જાનપ્રયાણ કરશે. અને સવારે ૧૦.૧પ વાગ્‍યે હસ્‍તમેળાપ શિવ સાગર હોલ, ન્‍યુ ગોપાલ પાર્ક શેરી નં. ૪, દોશી હોસ્‍પિટલ રોડના છેડે, અંકુર વિદ્યાલયની સામે, રાજકોટ ખાતે નિરધારેલ છે.

(10:42 am IST)