Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

મોરડિયા-ઠોરિયા પરિવારમાં શુભલગ્નોત્સવ

બાબુભાઇ મોરડિયાના સુપુત્રનાં શુભલગ્નઃ સિધ્ધાર્થ અને રિન્કુનું નવજીવનમાં પદાર્પણ

રાજકોટ : જાણીતા પાટીદાર અગ્રણી - શિક્ષણજ્ઞ અને અંગ્રેજી ભાષા ઉપર અભૂતપૂર્વ પ્રભુત્વ ધરાવનાર શ્રી બાબુભાઇ થોભણભાઇ મોરડિયા અને શ્રીમતી ભાવનાબેનના સુપુત્ર ચિ. સિધ્ધાર્થના શુભલગ્ન  જાણીતા અગ્રણી શ્રી નરભેરામભાઇ અમરશીભાઇ ઠોરિયાની સુપુત્રી ચિ. રિન્કુ સાથે આજરોજ તા. ૧ર ના રોજકોટ ખાતે નિરધાર્યા છે. શ્રી બી. ટી. મોરડિયા (મો. ૯૯૯૮૪ ૭૮૮૮૮) પરિવાર ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે. અંગ્રેજી શિક્ષણ ક્ષેત્રે સુદીર્ઘ સેવા આપી શ્રી મોરડીયા સાહેબે સેંકડો યુવા ભાઇ-બહેનોની કારકિર્દી ઘડતરમાં વિશિષ્ઠ યોગદાન આપ્યું છે. ચિ. સિધ્ધાર્થ ખૂબ જ નામાંકિત ટેકનોક્રેટ છે. અકિલા પરિવારે આ શુભ પ્રસંગે  નવદંપતિને શુભેચ્છા પાઠવી છે.

(3:26 pm IST)