Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

શ્રી યાદવ રેસ્ટોરન્ટવાળા જગદીશભાઇ રાઠોડના સુપુત્રના શુભલગ્નઃચિ.પ્રિયંક- ચિ.પૂજા

રાજકોટ શહેરના કાઠીયાવાડી ભોજન માટે ''ફેમસ'' શ્રી યાદવ રેસ્ટોરન્ટ સોરઠીયાવાડી વાળા શ્રી જગદીશભાઇ (અજીતભાઇ) ભગવાનજીભાઇ રાઠોડ તથા અ.સૌ. અનસુયાબેન જગદીશભાઇ રાઠોડના સુપુત્ર ''ચિ.પ્રિયંક''ના શુભલગ્ન  ગાંધીનગર નિવાસી શ્રી ભીખુભાઇ ભાયાભાઇ ચભાડ અને અં.સૌ.શાંતુબેનની સુપુત્રી ''ચિ.પુજા'' સાથે તા.૧૧ને શુક્રવારે નિરધાર્યા છે.

નવદંપતિનો સત્કાર સમારંભ તા.૧૨ને શનિવાર સાંજે ૮ કલાકે શ્રી પ્રતિલોક પાર્ટી પ્લોટ ૧૫૦ ફુટ રીંગ, નાના મૌવા સર્કલ ખાતે રાખેલ છે.

શુભલગ્ન પ્રસંગે તા.૧૦ને ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે મંડપ મુર્હુત, સાંજે ૬ વાગ્યે સંગીત સંધ્યા, તથા રાત્રીના  ૯ વાગ્યે પ્રતિલોક પાર્ટી પ્લોટ, નાના મૌવા સર્કલ, રાજકોટ ખાતે રાસની સમઝટ બોલશે. તા.૧૧ને શુક્રવારે સાંજે ૫ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી જાન પ્રસ્થાન થશે.

આમંત્રીતોને લગ્નમા ઉપસ્થિત રહેવા શ્રી યાદવ રેસ્ટોરન્ટ વાળા શ્રીજગદીશભાઇ (અજીતભાઇ) ભગવાનજીભાઇ રાઠોડ (મો.૯૯૭૮૮ ૨૦૨૯૪) અને શ્રીમતી અનસુયાબેન જગદીશભાઇ રાઠોડે આમંત્રણ પાઠવ્યુ છે.

(4:06 pm IST)