Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પરિણય એક પવિત્ર બંધન....

જાણીતા એડવોકેટ આસિતભાઈ અને મિનલબેન સોનપાલના સુપુત્રના શુભલગ્ન : ચિ.ધૈર્ય - ચિ. ખુશાલી

રાજકોટ : જાણીતા એડવોકેટ - નોટરી અને સુપ્રસિદ્ધ સંગીતજ્ઞ શ્રી આસિતભાઈ અને એડવોકેટ - નોટરી શ્રીમતી મિનલબેન સોનપાલના સુપુત્ર ચિ.ધૈર્યના શુભલગ્ન શ્રીમતી જાગૃતિબેન તથા શ્રી મુકેશભાઈ અમૃતલાલ ગોંધીયાની સુપુત્રી ચિ.ખુશાલી સાથે આવતીકાલે તા.૬ જુલાઈના શનિવારના શુભદિને નિરધારેલ છે. આ પ્રસંગે આજે શુક્રવારે સાંજે સાંજીના ગીત, મંડપ મુહૂર્ત બાદ ગણેશ સ્થાપના રાખેલ છે. આવતીકાલે સવારે ૭ કલાકે જાન પ્રસ્થાન થશે. ૮ાા કલાકે ચુંદડી ઓઢાડવામાં આવશે. બપોરે ૧૨ કલાકે હસ્તમેળાપ રાખેલ છે. આ પ્રસંગે નવદંપતિનો સત્કાર સમારંભ તા.૭ના રવિવારના રોજ રાખેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આસિતભાઈ અને મીનલબેન બંને એડવોકેટ એન્ડ નોટરી છે. તેઓ વકીલાત ક્ષેત્રે વ્યવસાયની સાથોસાથ સંગીત ક્ષેત્રે અનેક વર્ષોથી સક્રિય રીતે સંકળાયેલા છે. આસીતભાઈએ ગીત-સંગીત ક્ષેત્રે પણ પોતાની એક અલગ પહેચાન ઉભી કરેલ છે. અનેક કાર્યક્રમોમાં તેઓ નવા - જૂના ગીતો પીરસી સંગીતપ્રેમીઓની વાહ... વાહ... મેળવી છે. જયારે મિનલબેન પણ અનેક ગીત સંગીતના કાર્યક્રમોમાં એન્કરીંગ ક્ષેત્રે યશસ્વી સેવા આપી રહ્યા છે. સોનપાલ પરિવારના આ શુભપ્રસંગે સગા - સંબંધીઓ, મિત્ર વર્તુળો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. (મો.૯૮૨૫૬ ૨૪૧૭૪)

(3:38 pm IST)