Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વાંસજાળીયાના પત્રકાર રમેશભાઇ ધરસંડીયાના સુપુત્ર ડો. મિતના શુભલગ્ન : ડો. ઉર્વી જીવનસંગીની

રાજકોટ : વાંસજાળીયાના વરિષ્ઠ પત્રકાર રમેશભાઇ ધરસંડીયાના સુપુત્ર ચિ. મીત ધરસંડીયા (એમ.ડી. મેડીસીન) ના શુભલગ્ન ડો. ઉર્વી (એમ.ડી. પિડીયાટ્રીકસ) સાથે ક્રિષ્ના ફાર્મ, નિકોલ અમદાવાદ ખાતે તા. ૧૨ ના બુધવારે નિરધારેલ છે. પી.જી. એન્ટ્રેસ એકઝામમાં ગુજરાત યુનિ.માં પ્રથમ નંબર મેળવનાર તેજસ્વી કારકીર્દી ધરાવતા ડો. મિત ધરસંડીયા હાલ સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદ ખાતે 'ઇન્ફેકશીયસ ડીસીસ' માં સુપર સ્પેશ્યાલીટી (એફ.એન.બી.) કરી રહ્યા છે. નવદંપતિને આશીવર્ચન આપવા રાજયના કૃષિમંત્રી આર.સી. ફળદુ, ભાજપ પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા, માજી મંત્રી ચીમનભાઇ સાપરીયા, સીદસર ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ જેરામબાપા વાંસજાળીયા વગેરે ઉપસ્થિત રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે તા. ૮ ના શનિવારે ડો. મિત ધરસંડીયાનો જન્મ દિવસ પણ છે. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પણ શુભેચ્છા પાઠવી છે. ડો. મિતના મો.૯૦૯૯૦ ૪૬૩૦૭ છે.

(12:00 pm IST)