Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

વેરાવળના 'અકિલા'ના પત્રકાર દિપકભાઇ કક્કડના સુપુત્રના શુભલગ્નઃ ચિ.માધવ - ચિ.હિના

રાજકોટઃ 'અકિલા'ના વેરાવળના પત્રકાર  શ્રી દિપકભાઇ વ્રજલાલભાઇ કક્કડ અને અ.સૌ. કલ્પનાબેન કક્કડના સુપુત્ર ચિ. માધવ (એડવોકેટ)નાં શુભલગ્ન વેરાવળ  નિવાસી અ.સૌ.શિલ્પાબેન અને શ્રી જીતેન્દ્રભાઇ વૃંદાવનદાસભાઇ ચાંદ્રાણીના સુપુત્રી ચિ. હિના (એડવોકેટ) સાથે તા.૬-૭-૧૯ને શનીવારે નિરધારેલ છે.

માંગલીક અવસરોમાં આજે તા.પ ને શુક્રવારે સાંજે પ વાગ્યે ચુંદડી મુહુર્ત સાંજે ૬.૩૦ વાગ્યે સુરીલી સાંજી, રાત્રે ૯.૩૦ વાગ્યે મંડપ મુહુર્ત તથા રાત્રે ૧૦ વાગ્યે દાંડીયા રાસ શ્રી અઢીયા હોલ, લોહાણા બોર્ડીગ, વેરાવળ ખાતે નિરધારેલ છે. જાન પ્રયાણ તા.૬ને શનીવારે સવારે ૯ વાગ્યે શ્રી લોહાણા મહાજનવાડી, સટ્ટાબજાર, વેરાવળ ખાતે જવા પ્રયાણ કરશે. હસ્તમેળાપ બપોરે ૧ર.૩૦ વાગ્યે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૬ ને શનીવારે રાત્રીના ૮.૩૦ વાગ્યે સાગરદર્શન, શ્રી સોમનાથ મંદિર પાસે, સોમનાથ-વેરાવળ ખાતે યોજાશે.

(11:31 am IST)