News of Thursday, 31st December 2020
પોરબંદર જિલ્લામાં કોરાનાની સારવારમાં વધુ ૧ મોતઃ કુલ મૃત્યુ આંક ૧૦૦ પહોંચ્યો
કોરાનાના નવા ૩ કેસઃ અન્ય ૩ દર્દીઓ સાજા થયા
(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૧ :.. જિલ્લામાં કોરાનાની સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત નિપજયું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરાનાથી મૃત્યુ થયલ દર્દીઓની કુલ સંખ્યા ૧૦૦ પહોંચી છે.
જિલ્લામાં કોરાનાના નવા ૩ કેસ રાણાવાવ જયુબેલી વિસ્તાર અને ભોદ ગામથી આવ્યા છે. કોરાનાની સારવારમાં ૩ દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે કોરાનાની સારવારમાં ૧ દર્દીનું મોત નીપજતા જિલ્લામાં કોરાના મૃત્યુઆંક ૧૦૦ થયેલ છે.
(12:56 pm IST)