પાટીદાર આંદોલનનાં ઉપલેટામાં પડઘાઃ મોટી પાનેલીના ભાજપના ૧૦૦ આગેવાનોના રાજીનામા
ઉપલેટા તા ૧૯: તાજેતરમાં હાર્દિક પટેલ દ્વારા પાટીદારોને અનામત અને ખેડુતોના દેવા માફીની માંગણી સાથે કરેલ આંદોલન બાદ તેમના પડઘા આજે ઉપલેટા તાલુકામાં પડયા હતા. ઉપલેટા તાલુકાના મેટી પાનેલી ગામના ૧૦૦ પાટીદાર આગેવાનો કે જે ભા.જ.પ. ના નોંધાયેલા સભ્યો છે તેવા પાનેલીના સરપંચ મનસુખભાઇ બચુભાઇ ભાલોડીયા, જતીન ભાલોડીયા, દિનેશ વેકરીયા, અનીલભાઇ ચાડસાણીયા, હિરેન કરડાણી, ચંદ્રેશભાઇ જાલાવડીયા, ચિરાગ ગોઘાણી, મજસુખભાઇ ભાલોડીયા, રતીલાલ સહિત ૧૦૦ ભા.જ.પ. ના આગેવાનોએ ભા.જ.પ. માં રહી શકીએ નહિં એવી લાગણી વ્યકત કરતો પત્ર જીલ્લા ભા.જ.પ. ના પ્રમુખ ડી.કે સખીયા તથા તાલુકા ભા.જ.પ. પ્રમુખને ૧૦૦ આગેવાનો એ પોતાના નામ સહી સાથેના પત્રો આપી ભા.જ.પ. માંથી રાજીનામું આપતા હોવાનું જણાવેલ હતું
આમ પાનેલી મોટી ઉપલેટા તાલુકાનું મોટું પ્રગતીશીલ ગામમાંથી એકી સાથે ૧૦૦ પાટીદાર સરપંચ સહિતના આગેવાનોએ રાજીનામા આપતા આ રાજીનામા તાલુકામાં ચર્ચાનો વિષય બનેલ છે.