ધોરાજીમાં ઘર નજીક લપસી પડતાં આદિવાસી આધેડ રમેશભાઇનું મોત
છ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અરેરાટી
રાજકોટ તા. ૨૦: ધોરાજીમાં ઘર પાસે લપસી પડતાં ઇજા થતાં આદિવાસી આધેડનું મોત નિપજ્યું છે.
ધોરાજીના રામપરામાં રહેતાં અને કડીયા કામ, ખોદકામની છુટક મજુરી કરતાં મુળ મધ્ય પ્રદેશના રમેશભાઇ બાબાભાઇ સિંધાણીયા (ઉ.૪૫) નામના આદિવાસી આધેડ ગઇકાલે બપોરે ધીમો-ધીમો વરસાદ ચાલુ હતો ત્યારે ઘર પાસે ચાલીને નીકળતાં લપસી પડતાં માથામાં ગંભીર ઇજા થતાં ધોરાજી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાત્રે મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલાળા અને રાજદિપસિંહે કાગળો કારી ધોરાજી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં પાંચ પુત્ર અને એક પુત્રી છે. પોતે નવેક મહિનાથી ધોરાજી રહી મજૂરી કરતાં હતાં. મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ જવાયો હતો. (૧૪.૫)