જામજોધપુરના પાંચ શંખ્યો જુગાર રમતા ઝડપાયા
કાલાવાડના સોરઠા ગામે ચૂંટણી બાબતે ડખો
જામજોધપુર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. એમ.એલ.જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૪–ર૦૧૮ના કોટડા બાવીસી ગામની વેણુ કાઠે આવેલ સીમમાં વિઠ્ઠલભાઈ ભનુભાઈ ગોહીલ, રસીકપરી વસંતપરી ગોસાઈ, ધીરજલાલ કાનજીભાઈ ગોહીલ, ઈકબાલ રાણાભાઈ સમા, દીલીપભાઈ વીરાભાઈ હુણ રે. જામજોધપુરવાળા ઓ જાહેરમાં તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ. ૧પપ૯૦ તથા ગંજીપતાના પાના નંગ–પર સાથે મળી આવેલ છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કુલદિપભાઈ ગોરધનભાઈ કોઠીયાએ ફરીયાદ નોંધાવી છે કે, સોરઠા ગામે રામાપીરના મંદિર ના ઓટલે બેઠા હતા ત્યારે પ્રદિપભાઈ હેમભાઈ જાડેજા, કુલદિપભાઈ ભુપતસિંહ જાડેજા, આવી અને તમોએ અમોને ચૂંટણીમાં મત કેમ ન આપ્યા જેથી અમો ચૂંટણી હારી ગયેલ છીએ તેમ કહી ગાળો દઈ અને આરોપી પ્રદિપભાઈ એ પાઈપ વતી કુલદિપ કોઠીયાને જમણા પગના ગોઠણ પાસે પાઈપના છ ઘા મારી ફેકચર કરેલ અને આ કામના આરોપી કુલદિપ ભુપતસિંહ જાડેજાએ ઢીકા પાટુનો માર મારેલ અને ત્યાંથી જતા જતા ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.