જામનગરના વોર્ડ નં.રમાં લોકસંવાદ - અભિવાદન સમારોહ
જામનગર : અહિયા વોર્ડ નં.રના ગાંધીનગર વિસ્તારમાં ગાયત્રી મંદિરે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) દ્વારા લોકસંવાદ અભિવાદન સમારંભ યોજાયો હતો. જેમાં હકુભા મતદારોનો આભાર માનતા જણાવ્યું હતુ કે, જે જે પ્રશ્ન આવેલા છે તે પ્રશ્નોના ઝડપભેર ઉકેલ આવે તે માટે બનતા તમામ પ્રયાસ કરીશ. રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે લાભાર્થીઓ અને સરકાર વચ્ચે એક કડી બનીને ઉભો રહીશ. સાથે સાથે વોર્ડ નં.રના કોર્પોરેટર કિશનભાઇ માડમ, જયેન્દ્રસિંહ ઝાલાએ પણ મહાનગરપાલીકાને લગતા પ્રશ્નો ઉકેલવામાં તત્પર રહેવાની ખાત્રી આપી હતી. મતદારો તરફથી સફાઇ, પીવાના પાણી, લાઇટ, ભુગર્ભ ગટર અને રોડ સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. એવી જ રીતે શાસ્ત્રીનગરના રહેવાસીઓ દ્વારા પણ સી.સી.બ્લોક અથવા સી.સી.રોડ માટે ગ્રાન્ટ ફાળવવા પણ માંગ કરાઇ હતી. આ ઉપરાંત હાઉસીંગ બોર્ડની સમસ્યા અંગે પણ રહેવાસીઓ દ્વારા પ્રશ્નો રજૂ કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ચેતનાબેન પુરોહીત, પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, વોર્ડ પ્રમુખ બ્રિજરાજસિંહ સોઢા, શિક્ષણ સમિતિના સભ્ય હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા, વી.ડી.જાડેજા, દાદલાભાઇ, વિજયસિંહ (બોબીભાઇ), પ્રવિણસિંહ કે.જાડેજા, સંપતસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ જાડેજા, નયુભાઇ લાંબા (મચ્છરનગર), કિશોરસિંહ સોઢા, ઘનશ્યામસિંહ જાડેજા, વિનય જાની, દિનેશભાઇ માલધારી, યોગેશભાઇ લીંબડ, ધીરજભાઇ રાઠોડ, પ્રદ્યુમનસિંહ જાડેજા, અક્ષયભાઇ દવે વગેરે આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. તસ્વીરોમાં ઉપસ્થિત અગ્રણીઓ, મહેમાનો અને સ્થાનિકો દર્શાય છે. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)(૪૫.૨)