સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

દ્વારકાધીશ મંદિરમાં શરદપૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

થોડીવાર માટે સોશ્યલ ડિસ્ટન્સનો પ્રશ્ન ઉભો થયો'તો

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૩૧ :  દ્વારકાધીશ મંદિરમાં આજે સવારથી શરદપૂનમની પૂર્ણિમાંના કારણે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા ભારે ભીડના કારણે સોશ્યલ ડીસ્ટન્સનો પ્રશ્ન ઉભો થયો હતો.

પરંતુ આરતી બાદ તંત્રએ ફરીથી દર્શન કરવા માટે યાત્રીકોની કતાર બંધ વ્યવસ્થા શરૂ કરી છે. પરંતુ થોડા સમય માટે વહેલી સવારે ભારે ભીડના કારણો સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થયેલો જોવા મળ્યો છે.

(2:59 pm IST)