વધુ ત્રણ દર્દીઓના મોત
ખંભાળિયા બે, ભાણવડમાં ત્રણ સહિત છ નવા પોઝીટીવ સામે સાત ડિસ્ચાર્જ
ખંભાળિયા તા.૩૧ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં સતત ૧૦-૧ર દિવસથી કોરોના પોઝીટીવ કેસ કરતા ડિસ્ચાર્જનું પ્રમાણ વધતુ રહયુ છે. ગઇકાલે નવા છ કેસ નોંધાયા હતા. જેમાં ભાણવડ ૩, ખંભાળિયામાં બે તથા કલ્યાણપુરમાં એક નોંધાયા હતા જે તમામને ખંભાળિયા કોવીડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
કુલ સાત દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જેમાં ખંભાળિયા, દ્વારકા તથા ભાણવડમાંથી બે બે તથા કલ્યાણપુરનો એક દર્દી ડિસ્ચાર્જ થયો હતો.
સરકારી આંક મુજબ કોવીડમાં ૮ તથા બીન કોવીડમાં પ૦ મળીને કુલ પ૮ મૃત્યુ કોરોના મહામારી સંદર્ભમાં જિલ્લામાં હતા. તેમાં ત્રણ બીન કોવીડના મોતમાં વધારો નોંધાતા ૬૧ ટોટલ થયા છે કુલ એકટીવ કેસ પ૪ છે.
કલ્યાણપુરના ભાટીયામાં ઘેલાણી શેરીમાં ભાણવડમાં, ચમારવાસ ભાણવડમાં, દીવાળી સોસાયટી ભાણવડમાં તથા બેટ તા.ખંભાળિયા તથા નવાપરા શેરી નં.રમાં નવા કેસ નોંધાયા હતા તથા ઉમીયા પાર્કમાં ભાણવડ તથા ચમારવાસ ભાણવડ અને ભાટીયામાં નવા ત્રણ કંટેટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા.