સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

પોરબંદરમાં કોરોનાના નવા ૩ કેસ

કોરોનાની સારવારમાં ર દર્દીઓ સાજા થતા હોસ્પીટલમાંથી રજા અપાઇઃ સિવિલમાં હાલ ૬ દર્દીઓ સારવારમાં

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર, તા., ૩૧: કોરોના પોઝીટીવના નવા ૩ કેસ આવ્યા છે. જયારે સારવારમાં રહેલ કોરોનાના ર દર્દીઓ સાજા થતાં હોસ્પીટલમાંથી રજા અપાઇ છે.

કોરોના પોઝીટીવના નવા ૩ કેસ શહેરના ઠક્કર પ્લોટ, કડીયા પ્લોટ તથા રાણાવાવમાંથી આવ્યા છે. કોરોનાના ર દર્દીઓ સાજા થઇ જતા હોસ્પીટલમાંથી રજા અપાઇ છે. જિલ્લામાં કોરોના પોઝીટીવની અત્યાર સુધીમાં કુલ સંખ્યા ૭૭પ પહોંચી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૬૮૧ દર્દીઓ સાજા થયેલ છે. સિવિલ હોસ્પીટલમાં હાલ ૬ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહેલ છે.

(11:36 am IST)