સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 31st October 2018

તુલસી શ્યામ રેન્જમાંથી બીમાર સિંહણને ધારીના આંબરડી કેર સેન્ટરમાં ખસેડાઇ

રબારીકા રાઉન્ડ પાસે ચાર વર્ષની સિંહણનું રેસ્ક્યુ કર્યું

 

ગીરસોમનાથના તુલસી શ્યામ રેન્જમાંથી વધુ એક બીમાર સિંહણ મળી આવી છે. જેને રેસ્ક્યૂ કરીને ધારીના આંબરડી કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. ગીર સોમનાથના તુલસીશ્યામ રેન્જ રાબારીકા રાઉન્ડ પાસેથી 4 વર્ષની એક સિંહણનુ રેસ્કયુ કરવામાં આવ્યું છે

  . સિંહણ લુલી ચાલતી હતી. તેમજ બીમાર પણ હતી. જેથી વનવિભાગે તેને રેસ્કયુ કરી છે. સિંહણ મારણ કરવાની પણ શક્તિ ધરાવતી હતી. જેને ધારીના આંબરડી ખાતે ખસેડવામાં આવી છે.

(9:53 pm IST)