સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 31st August 2018

પાટડીના વિસનગરમાં ર પિતરાઇ બહેનોના વિજ શોકથી મોત

પરપ્રાંતિય પરિવારમાં અરેરાટીઃ નવ વર્ષની સજ્જન અને પૂજાનો ભોગ લેવાયો

વઢવાણ તા.૩૧: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વિસનગર ગામમાં બેસગી પિતરાઇ બહેનો ખેતરમાંથી શૌચકીયા કરવા માટે ગયાબાદ પરત ન ફરતા મજુર પરિવાર દ્વારા બન્ને બહેનોની શોધખોળ આદરવામાં આવેલ ત્યારે બન્ને બહેનોના વિજપોલ પાસે શોક લાગેલ હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. આ બન્નેના મૃતદેહ વહેલી પરોઢે મળ્યા હતા.

આ ઘટનાની જાણકારી આપવામાં આવતા પાટડી પોલીસ વિસનગર ખેતર વાડીમાં ઘટના અંગેની તપાસ માટે દોડી ગયેલ હતી ત્યારે આ બન્ને પિતરાઇ સગી બહેનો મૃતદેહ પંચનામુ કરી પાટડી ખાતેના દવાખાને ખસેડવામાં આવેલ છે ત્યારે આ બન્ને બહેનોમાં એકનુ નામ સજ્જન અને બીજીનુ નામ પુજા હોવાનું જાણવા મળી રહ્યુ છે બન્ને બહેનો નવ વર્ષની ઉમર હોવાનુ હાલ જાણવા મળેલ છે. ત્યારે બહારથી ખેતરોમાં મજુરી કામ માટે આવેલા આપરિવારની બે-બે પુત્રીઓના મોતની ખબર ગામમાં પડતા ગામના લોકોપણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જ્યારે આપરિવારમાં સજ્જન અને પુજાના મોત નિપજતા પરિવારમા હદય કપી ઉઠે તેઓ વલોપાત જોવા મળ્યો હતો.(૨.૪)    

(11:50 am IST)