સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st July 2021

મોરબીમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ, ૧૫ વિદ્યાર્થીઓ એ ૧ ગ્રેડ સાથે ઉતીર્ણ.

મોરબી :રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે જેમાં માસ પ્રમોશનને પગલે મોરબી જીલ્લાના રેગ્યુલર તમામ ૬૫૧૩ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે

  મોરબી જીલ્લાના ૬૫૧૩ વિદ્યાર્થીઓ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં પાસ જાહેર કરાયા છે જેમાં ૧૫ વિદ્યાર્થીઓ એ૧ ગ્રેડ સાથે, ૨૫૪ વિદ્યાર્થીઓ એ૨ ગ્રેડ સાથે, ૮૫૨ વિદ્યાર્થીઓ બી ૧ ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે

(11:26 pm IST)