ઘરે થી ભૂલી પડેલ માનસિક અસ્વસ્થ સગીરાનું પરીવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૩૧ : ઇશ્વરીયા ગામ માં એક સજ્જન નાગરિક દ્વારા ૧૮૧ માં કોલ કરીને જાણ કરવામા આવી હતી કે તેઓને એક અજાણી સગીરા મળી આવેલ છે. જે તેઓ ને તેમના વિસ્તાર ના નથી લાગતા ને સાંજ નો સમય હોય જેથી સગીરા ની સલામતી ના લાગતી હોય જેથી મદદ ની જરૂર છે. ત્યારે ૧૮૧ અભયમ ના કાઉન્સેલર પરમાર હીના તથા તે વિસ્તાર ના કોન્સ્ટેબલ દેવાયતભાઈ ભેડા સ્થળ પર પોહચી ટીમ દ્વારા આ સગીરા સાથે પરામર્શ કરતા જાણવા મળેલ કે આ સગીરા ની આશરે ૧૬ થી ૧૭ વર્ષ ની ઉમર હોય ને તેઓની માનસિક સ્થિતિ સારી ના હોવાથી તેઓ ભુલ થી ઘરે થી નિકળી ગયા છે. તેઓને ક્યાં રહે તે યાદ નથી જેથી ટીમ દ્વારા સગીરા ને શાંત કરી વિશ્વાસ માં લઈ ને આત્મીયતા કેળવતા જાણવા મળેલ કે તેઓ ને માત્ર ગિરિરાજ વિસ્તાર યાદ હોય ને તે વિસ્તાર નું રટણ કરતા હોય જેથી ટીમ દ્વારા અમરેલી સીટી ના આ વિસ્તાર માં શોધખોળ તેમજ તપાસ કરતા અંતે સગીરાનું રહેણાક વિસ્તાર નું સરનામું મળેલ જેથી જ્યાં તેઓનાં માતા પાસે પોહચતા જાણવા મળેલ કે સગીરા બપોર થી ઘર ની બહાર નીકળી ગયેલ હોય ને તેઓ બપોર થી શોધેખોળ કરતા હતા.જેથી સગીરાનું તેઓની માતા સાથે અંતે મિલન કરાવેલ તેમજ ટીમ દ્વારા સગીરાની માનસિક સ્થિતિ તેમજ આરોગ્ય અંગે સમજણ આપી તેઓની યોગ્ય સારવાર કરવા જણાવેલ હતુ.