સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 31st May 2020

પોરબંદરના અશમાવતી ઘાટ પાસેના સોમનાથ મંદિરના પુજારીએ ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ

લોકડાઉનમાં ગાયોને પૂરતો ખોરાક નહિ આપી શકતા પગલું ભર્યું : ઘાસચારા માટે બાપુએ ઉધાર રૂપિયા પણ લીધેલ

પોરબંદર : પોરબંદરના અશ્માવતી ઘાટ નજીક આવેલ સોમનાથ મંદિરના પૂજારી શ્રી ક્રિષ્ના મુરારી બાપુએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

   લોક ડાઉનની અસરના કારણે ગાયોનો પૂરતો ખોરાક પૂરો પાડી ના શક્યા હતા. તેમની સેવામાં ખંડ પડ્યો હોવાથી બાપુથી આ વાત સહન ન થય અને તેમને આ પગલું ભર્યું તેવું પૂજારીશ્રીએ જણાવ્યું હતું. જોકે ઘણી જગ્યાએએ થી  બાપુએ ઘાસ ચારાના રૂપિયા પણ ઉધાર લીધા હતા

(11:03 pm IST)