સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 31st May 2018

મોડી સાંજે અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો : લાઠીના ચાવંડના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના છાંટા : પવનનું જોર પણ વધ્યું :લોકોને ગરમીમાં આંશિક રાહત

 રાજકોટ ;આજે સાંજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો આજે સાંજે આટકોટ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો ભારે પવનના કારણે સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હતા અને એક પેરાપેટ પણ પડી જવા પામી હતી ત્યારે અમરેલી જિલ્લામાં પણ વાતાવરણ પલટો આવ્યો હતો અને લાઠીના ચાવંડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો પવનનું જોર વધતા ગરમીમાં રાહત અનુભવાઈ હતી

(9:52 pm IST)