સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 31st May 2018

ખંભાળીયામાં મધુબેન વિંઝોડા ઉપર ૪ શખ્સોનો હૂમલોઃ ખૂનની ધમકી

ખંભાળીયા તા. ૩૧ :.. ગોવિંદ તળાવ વિસ્તારમાં મધુબેન દેસાભાઇ પાલાભાઇ વિંઝોડા નામના પરિણિત મહિલાના ઘરે સાંજના સમયે આવી, હરીશ વાલાભાઇ ડોરૂ, અરવિંદ વાલાભાઇ ડોરૂ, હસુભાઇ વાલાભાઇ ડોરૂ અને નીતિન હરીભાઇ ડોરૂ નામના ચાર શખ્સોએ કોઇ કારણોસર બોલાચાલી કરી, ઢીકા-પાટુનો માર માર્યાની  તથા કુહાડીના હાથા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ મધુબેને અહીની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

યુવાનને હૃદયરોગનો ઘાતક હૂમલો

ભાણવડ શેઢાખાઇ વીરાભાઇ ધરણાંતભાઇ બરાઇ નામના ૪પ વર્ષના આહીર યુવાનને હૃદયરોગનો હૂમલો આવી જતાં તેમનું મૃત્યુ નિપજયુ હોવાની જાણ મૃતકના મોટાભાઇ કાનાભાઇ ધરણાંતભાઇ બરાઇએ ભાણવડ પોલીસનેકરી છે.

(1:20 pm IST)