જુનાગઢ જિલ્લાના ૮ પી.એસ.આઇ. ની આંતરીક બદલી ૭ પ્રોબેશનર મહીલા પી.એસ.આઇ. ને મહત્વનું પોસ્ટીંગ
રાજયના પોલીસ વડાના પરિપત્રનો એસ.પી. જાજડિયાનો ત્વરીત અમલ
જુનાગઢ તા ૩૧ : જિલ્લાના ૮ પી.એસ.આઇ ની આંતરિક બદલી કરવાની સાથે એસ.પી. નિલેષ જાજડીયાએ ૭ પ્રોબેશનર મહીલા પી.એસ.આઇ ને મહત્વનું પોસ્ટીંગનો આદેશ કર્યો છે.
શહેર અને જિલ્લાની કાયદો વ્યવસ્થાની સ્થિતી વધુ સંગીન બનાવવાના ભાગ રૂપે જિલ્લા પોલીસ વડા નિલેષ જાજડીયા એ ૮ પી.એસ.આઇ. ની આંતરીક બદલી કરી છે.
જેમાં જુનાગઢ બી ડીવીઝનના બી.કે. વાઘની જોશીપુરા, બી ડીવીઝનમાંથી પી.એસ.આઇ આઇ.બી. વાઘેલાની લીવ રીઝર્વ ટ્રાફીક પી.એસ.આઇ એમ.જી. બાલાસની કેશોદ ડી સ્ટાફમાંૅ બદલી કરવામાં આવી છે.
તેમજ જુનાગઢ બી ડીવીઝન ની કાળવા ચોકીના એચ.કે. માલમને ચોરવાડ વિસાવદર ના આર.ક.ે સાનીયાને એસ.પી.ના રીડર તરીકે, વિસાવદરના વિધિ પરમાર ને એસસીએસટી એસ.પી કચેરીમાં, કેશોદના એન.કે.વાજા ને માણાવદર અને ચોરવાડના પી.એસ.આઇ એન.બી. ચોૈહાણને જુનાગઢ કાળવા ચોકીમાં મુકવામાં આવેલ છે.
તેમજ રાજયના પોલીસ મહા નિદૈશક ના પરિપત્ર મુજબ એસ.પી. નિલેશ જાજડીયાએ સાત પ્રોબેશનર મહિલા પી.એસ.આઇ. ને મહત્વનું પોસ્ટીંગ આપ્યું છે.
જેમાં આલ્યા પી. ડોડીયાને એસઓજીમાં, વિધી કે. ઉંજીયાને શહેર ટ્રફીક, પ્રીતી એસ. ચાવડાને કેશોદ, ભાનુ એસ વઘાશીયાને અરણી તાલુકા, બી.જે. રામાણીને મેંદરડા, બી.જે. બોદરને વિસાવદર ડી સ્ટાફ, કિંજલ કે મારૂ ને બી ડીવીઝન ડી સ્ટાફ માં પોસ્ટીંગ આપવામાં આવેલ છે.