News of Thursday, 31st May 2018
જનસેવા ગોપીમંડળ દ્વારા પરસોતમ માસ નિમિતે ૫૬ ભોગના દર્શન
ધોરાજીઃ જનસેવા ગોપી મંડળ દ્વારા પરસોતમ માસ નિમિતે દરરોજ પૂજા અર્ચના અને રાત્રે સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાય છે. આ.. મહિલા મંડળના બહેનો દ્વારા અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવે છે. અને પરસોતમ માસનિમિતે ગોપી મંડળની મહિલાઓ દ્વારા ભગવાનને ૫૬ ભોગના અન્નકોટના દર્શન રાખેલ અને ખાસ કરીને ગોપી મંડળ બહેનો દ્વારા સારા વરસાદ પડે એવી પ્રાર્થના કરવામાં આવેલ એમ રમાબેન પટેલની યાદીમાં જણાવેલ હતું.
(11:55 am IST)