News of Wednesday, 31st March 2021
જામનગરમાં મહારાષ્ટ્રથી આવતા યાત્રિકોનો કોરોના ટેસ્ટ
જામનગર : જામનગરના રેલવે સ્ટેશન પર બહારથી આવતા યાત્રિકોની કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાંથી આવતા યાત્રિકોના રેલવે સ્ટેશન પર જ આર.ટી.પી.સી.આર ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત જે યાત્રિકોના એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવે તેમના આરટીપી સી આર ટેસ્ટ ફરજીયાત કરવામાં આવી રહ્યા છે. શહેરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર જુદી જુદી છ ટીમો દ્વારા ચોવીસ કલાક કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરોઃ કિંજલ કારસરીયા,જામનગર)
(12:55 pm IST)