સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 31st March 2020

ભાવનગર જિલ્લામાંથી 17 વ્યક્તિઓ દિલ્હી તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ હતા

જિલ્લા રેન્જ આઇજીએ SIT ની રચના કરી : કાર્યક્રમમાં હાજર રહેલા ભાવનગર જિલ્લાના અબ્દુલ કરીમભાઈનું કોરોનાને કારણે મોત

ભાવનગર : કોરોનાનું હોટ સ્પોટ બનેલા દિલ્હીના નિઝામુદ્દીનના તબલીઘી જમાતના આ કાર્યક્રમમાં ગુજરાતના પણ અનેક લોકો ભાગ લેવા ગયા હતા જેમાં ભાવનગર જિલ્લાના 17 લોકો સામેલ થયા હતા તેમની શોધખોળ માટે ભાવનગર જિલ્લા રેન્જ આઇજીએ અશોક યાદવે SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી છે. રેન્જ આઇજી અશોક યાદવે કહ્યું કે આ કાર્યક્રમમાં ભાવનગરના 13 અને બોટાદના 4 લોકો મળી 17 લોકોએ ભાગ લીધો હતો. આ 17 લોકોમાંથી એકનું કોરોનાને કારણે મોત થઈ ગયું છે.

આ મામલે ભાવનગર જિલ્લા પોલીસે પણ તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ ઉપરાંત ભાવનગર રેન્જના આઈજીએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી તેમને ક્વોરન્ટીન કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. 

(10:12 pm IST)