સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 31st March 2020

આદિત્યાણામાં ૧૦૮ ની સમયસર સેવાથી પ્રસૂતા અને બાળકના જીવ બચી ગયા

પોરબંદર તા. ૩૧ : આદિત્યાણામાં રહેતા એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં ફોન કરતા ૧૦૮ નો ડો. વિશાલ ભાલોડીયા અને પાઇલોટ રાણાભાઇ તુરંત સ્થળ ઉપર આવી  પહોંચીને મહિલાને પોરબંદર હોસ્પિટલે લઇ જતા રસ્તામાં ખાપટ પો મહિલાને દુઃખાવો ઉપડતા ડોકટર્સ એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવીને સમયસર સારવાર કરીને માતા અને તાજા જન્મેલા બાળકનો જીવ બચાવી લીધો હતો.

લોકડાઉન દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાને લોકોએ સરાહના કરેલ છે.

(11:19 am IST)