પોરબંદરમાં કીર્તીમંદિરે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઇ : કલેકટર સહીત મહાનુભાવો દ્વારા પૂ. ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પી
પોરબંદર, તા, ૩૧: ગાંધી નિર્વાણ દિને કીર્તીમંદિર ખાતે પૂ. મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી અર્પવા પ્રાર્થના સભા યોજાઇ હતી. સર્વધર્મ પ્રાર્થના સભામાં કલેકટર અશોક શર્મા સહીતના મહાનુભાવોએ પૂજય બાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિતે કીર્તીમંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થનાસભાની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. સર્વ ધર્મ પ્રાર્થના સભા બાદ ઉપસ્થિત સૌ કોઇએ ર મીનીટનું મૌન પાળી પૂજય બાપુને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ બાપુનુ પ્રિય ભજન વૈષ્ણવ જન સહીત અન્ય ભજનોનું શ્રોતાઓ દ્વાાર શ્રવણ કરવામાં આવ્યું હતું.
જીલ્લા કલેકટરશ્રી અશોક શર્મા, પ્રાંત અધિકારી કે.જે.જાડેજા, મામલતદાર ગ્રામ્ય રાહુલ ડોડીયા, મામલતદાર શહેર હંસાબેન, કીર્તીમંદીરના ટ્રસ્ટીઓ સહીત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પૂજય બાપુને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.