સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 31st January 2019

પોરબંદરના મહિલાનું સ્વાઇન ફલૂની શંકાએ રાજકોટમાં મોત

૫૫ વર્ષના મહિલાએ ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યોઃ કુલ ૪૦ દર્દી ખાનગી-સિવિલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૩૦:  સ્વાઇન ફલૂથી વધુ એક મોત થયું છે. પોરબંદરના ૫૫ વર્ષના મહિલાએ આજે સવારે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો છે. આ દર્દીને સ્વાઇન ફલૂ હોવાની શંકા દર્શાવાઇ છે. તેમનો રિપોર્ટ આવવાનો બાકી છે.  આ વર્ષમાં કુલ મૃત્યુઆંક ૧૮ થઇ ગયો છે. આ રિપોર્ટ પોઝિટીવ જાહેર થશે તો મૃત્યુઆંક ૧૯ થશે. આજના દિવસમાં સિવિલ તથા ખાનગી હોસ્પિટલમાં કુલ ૪૦ દર્દી સારવાર હેઠળ છે, આ તમામના રિપોર્ટ પોઝિટીવ જાહેર થયેલા છે. જેમાં રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, કોટડા સાંગાણી, જેતપુર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમાનાથ, જામનગર સહિતના દર્દીઓ સારવાર હેઠળ છે. અગાઉ જે ત્રણ શંકાસ્પદ મૃત્યુ થયા હતાં તેમનો રિપોર્ટ ગઇકાલે પોઝિટીવ જાહેર થયો હતો.  જેમાં ૮૦ વર્ષના વૃધ્ધ, ૪૬ વર્ષના મહિલા, ૫૨ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે.

(3:21 pm IST)