News of Wednesday, 31st January 2018
તળાજાના પીથલપુર ગામે બસની ઠોકરે દંપતિ ખંડીત
પાંચ દિવસ બાદ ઘરે લગ્ન પ્રસંગ હતો તેના બદલે મરસીયા ગવાયા
તળાજા તા.૩૧ : પીથલપુર ગામના પાલીવાલ પરિવારના ખેડૂત કનુભાઇ પ્રાણશંકર લાધવા (ઉ.વ.પપ), પત્નિ મંછાબેનને બાઇક નં.જીજે-૪એબી-૩૬૬૭ પર બેસાડી વાડી તરફ જઇ રહ્યા હતા. ગોપનાથ પીથલપુર મુખ્ય રસ્તા પર બાઇક હંકારી ગયા કે રસ્તા પર પુરપાટ ઝડપે દોડી આવતી એસ.ટી. બસ નં.જીજે-૧૮ઝેડ-ર૦૯૬ બંને વચ્ચે ટક્કર થતા ગંભીર ઇજાઓ થવાના કારણે કનુભાઇ લાધવાનું સ્થળ પર જ મોત નિપજયુ હતુ. મંછાબેનને ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતને લઇ મેહુલ કનુભાઇ લાધવાએ બસના ચાલક વિરૂધ્ધ પુરપાટ ઝડપે બસ ચલાવી, અકસ્માત સર્જી મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી છે. તળાજા હોસ્પિટલ અને સ્થળ પર સેવાભાવી લોકો દોડી આવ્યા હતા. પાંચ દિવસ બાદ મૃતકના પરિવારમાં દિકરા-દિકરીના લગ્ન હતા.
(11:50 am IST)