મોરબી - માળિયાના ધારાસભ્યે સતત બીજા દિવસે ગ્રામ્ય પંથકનો પ્રવાસ કર્યો
મોરબી તા. ૩૦ : મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા હાલ ગ્રામ્ય પંથકનો પ્રવાસ કરીને લોકસંપર્ક કાર્યક્રમ કરી રહ્યા છે. જેમાં સતત બીજા દિવસે વિવિધ ગામની તેમણે મુલાકાત લીધી હતી
મોરબી – માળીયા (મીં) ના લોક સંપર્ક કાર્યક્રમ અન્વયે ગામડાઓના પ્રવાસના બીજા દિવસે વિવિધ ગામડાઓની મુલાકાત લઈ ગ્રામજનો સાથે મેરજાએ સંવાદ કર્યો હતો. અને ગ્રામજનોની મુશ્કેલી જાણી તેના નિવારણની ખાતરી આપી હતી. આ પ્રવાસમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, માળીયા (મીં) તાલુકા ભાજપના પ્રમુખ મણીભાઈ સરડવા, જિલ્લા પંચયાતના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, માળીયા (મીં) તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બાબુભાઇ હુંબલ, મોરબી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ જીગ્નેશભાઈ કૈલા, અગ્રણી આર. કે. પારજીયા, જેન્તિભાઈ સાણજા, મનીષભાઇ કાંજીયા, જયદીપભાઈ સંઘાણી, સુભાષભાઇ પડ્સુંબિયા, બાલુભાઈ ફૂલતરિયા સહિત મોટી સંખ્યામાં ભાજપના યુવા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.
બ્રિજેશ મેરજાએ ચાચાવદરડા, તરઘડી, સરવડ, રાસંગપર, સોનગઢ, હરીપર, ખીરઈ, વઘારવા, માંણાબા, સુલતાનપુર અને ચીખલી સહિતના ગામોમાં પ્રવાસ કર્યો હતો.