સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 30th November 2020

બગસરામાં ખાતરી મળતા વેપારીઓએ આંદોલન પરત ખેંચ્યું

 બગસરા સજ્જડ બંધના પડઘા રાજય સરકાર સુધી પડતા બપોર બાદ વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડિયા તથા સંસદ સભ્ય નારણભાઈ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા બગસરા દોડી આવ્યા હતા અને વેપારી સંગઠનોના હોદ્દેદારો સાથે આંખની હોસ્પિટલ ખાતે બેઠક યોજી હતી અને કોઈપણ વેપારીઓને કે ગ્રાહકોને ખોટી રીતે તંત્ર દ્વારા હેરાન કરવામાં નહીં આવે તેવી ખાતરી આપવામાં આવતા વેપારીઓએ બંધના એલાનને પરત ખેંચી સુખદ સમાધાન કર્યું હતું. જોકે આ બેઠકમાં સરકારી તંત્રના એક પણ અધિકારી ઉપસ્થિત રહ્યા ન હતા. (તસ્વીર-અહેવાલઃ દર્શન ઠાકર, વાંકાનેર)

(11:26 am IST)