ધોરાજી નજીક જસાપર ગામના ખેડૂત દ્વારા એક છોડ વાવીને સૂરજમુખીનું બિયારણ બનાવ્યું
(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા. ૩૦: પરસોત્ત્।મભાઈ નુ જીવન સ્ટેશનરી સાથે જોડાયેલું હતું ટાઈપિંગ જામકંડોરણા અને યુનિવર્સિટીના ટાઈપિંગના ધંધા સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ તેઓ સુરત સ્થળાંતર થયા હતા આરએસએસ જેવી સંસ્થાઓમાં સેવા આપી હતી સમાજસુધારક અને સાથે સાથે ખેડૂતોના માર્ગદર્શક રહ્યા છે જયારે નિવૃત્ત્િ।નું જીવન ગ્રામ્ય આબોહવામાં સાંત જીવવા માટે તેઓ ફરી પાછા ગામડે આવી ગયા અને ધોરાજી જામકંડોરણા વચ્ચે રોડ ઉપર તેઓનું ખેતર આવેલું છે.
૨૪ કલાક વાડીએ આ દંપતી રહે છે.સાત્વિક આહાર તેઓ વાડી ઉપર બનાવીને પ્રેરણા રૂપ જીવન જીવે છે.પોપટ અને અન્ય પક્ષીને ને ચણવા માટે તેઓએ બાજરીનું વાવેતર પણ કરેલું હતું. પ્રેમાળ અને શાંત સ્વભાવ હોવાથી પરસોતમભાઈના વાડીએ સુરજ ઊંગવાથી માંડીને આથમવા સુધી સૂર્યમુખી ની ખેતી જોવા માટે તાલાળા જુનાગઢ અને કચ્છ સુધીના સહેલાણીઓ આવતા રહેશે. પરસોત્ત્।મભાઈ દૌગા દ્વારા સૌરાષ્ટ્ર અને ભારત ભરના ખેડૂતોને ઓછા ખર્ચમાં આર્ગોનિક ખેતી માટે માર્ગદર્શન મળી રહે અને સફળતા પૂર્વક સૂર્યમુખીની ખેતી કરવામાં આવી.
પરસોત્ત્।મભાઈના પત્ની સુરતમાં સ્નેહમિલન જેવા કાર્યક્રમોની શરૂઆત કરાવી છે ઉત્સાહિત અને વૃદ્ઘ ઉંમરને આરે હોવા છતાં કંઈક નવું કરવા અને લોક ઉપયોગી થવા માટે સતત પ્રયત્નશીલ રહેશે હાલ બીજ નિગમ બિયારણના વેપારીઓ અને ખેડૂત મિત્રોને માર્ગદર્શન માટેની એપ સોશિયલ મીડિયામાં માહિતી મળી રહે છે તેવી રીતે આ ખેડૂત દંપતિની મુલાકાતથી અઢળક માહિતી નવું કરવાની પ્રેરણા અને વિવિધ વાવેતર મફતમાં જોવા મળી રહેશે. કાળા ઘઉં ચણા જામફળ સરગવો સૂર્યમુખી આવા વિવિધ વાવેતરો આ દંપતી દ્વારા કરવામાં આવેલ છે ગુજરાતમાં સૂર્યમુખી-સનફ્લાવરની ખેતી હવે સદંતર બંધ થઈ ગઈ છે. દેશના અડધા પ્રદેશોમાં તેની ખેતી થાય છે. વર્ષે રૂ.૧૫૦૦ કરોડની ખેત પેદાશ ધરાવતાં પાક સૂર્યમુખીનું ગુજરાતમાં હાલ કોઈ ઉત્પાદન થતું નથી. ગુજરાત જે રીતે તલ, મગફળી, એરંડીના તેલમાં અવલ્લ છે તેમ સૂર્યમુખીના તેલમાં ગુજરાત ૦ છે. પણ હવે કેટલાંક નવા સંશોધન થયા છે તેમાં જો મગફળીના પાકમાં વાવવામાં આવે તો સારું ઉત્પાદન મળવા લાગ્યું છે. તેથી હવે ગુજરાતમાં ફરી એક વખત સૂરજમુખીની પણ ખેતી થઈ શકે એવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યાં છે. ત્યારે જામકંડોરણા તાલુકાના જસાપર ગામે રહેતાં પ્રગતિશીલ ખેડૂત.