સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 30th November 2019

સુરેન્દ્રનગર તાલુકા લેવલ એકઝેકયુટીવ મંડળની રચના

વઢવાણઃ ગુજરાતભરમાં સરકાર દ્વારા ઈગ્રામ વિશ્વગ્રામ પ્રોજેકટ ચાલી રહ્યો છે જેમાં જિલ્લા તાલુકા દીઠ ટેકનિકલ ટીમ મુકવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આ ટેકનીકલ કર્મચારીઓએ તમામ પોતાના હિતાર્થે  તાલુકા લેવલ એકઝેકયુટીવએ સામાન્ય સભા બોલાવી તાલુકા લેવલ એકઝેકયુટીવ મંડળની રચના કરવામાં આવી જેમાં મંડળના પ્રમુખ તરીકે પરમાર સહદેવસિંહ, ઉપપ્રમુખ તરીકે જાવેદભાઈ કોઢીયા, દર્શનભાઈ ભુવા અને મહામંત્રી તરીકે હિતેશભાઈ બાટીયાની વરણી કરવામાં આવી હતી. આવનારા સમયમાં કોઈપણ જાતનું આંદોલન કે અન્ય લડત માટે નહીં પણ તાલુકા લેવલ એકઝેકયુટીવની માગણીઓ અને પોતાના હક્ક માટે એકમેક બની ખંભાથીખંભો મીલાવીને ઉભા રહે તે હિતાર્થે સુરેન્દ્રનગર જિલ્લાનું તાલુકા લેવલ એકઝેકયુટીવ મંડળની રચના કરવામાં આવી.

(1:02 pm IST)