સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

ધોરાજીમાં મૂસ્લીમ સમાજના લોકો દ્વારા ઇદે મીલાદની ઉજવણી કરાઈ હતી

 ધોરાજી:  ધોરાજીમાં મૂસ્લીમ સમાજ ના લોકો દ્વારા ઇદે મીલાદ ની ઉજવણી કરાઈ હતી  . વૈશ્વિક કોરોના મહામારી ના પગલે મૂસ્લીમ સમાજ દ્વારા સરકાર ની સૂચના ગાઇડ લાઇન્સ મુજબ ઈદે મીલાદની ઉજવણી કરાઈ હતી ધોરાજીમાં જુલુસ સહિતના કાયકમો રદ કરાયા હતા ઈદે મીલાદ નિમીતે સાદગીપૂર્ણ તમામ ધાર્મિક વિધિઓ મસ્જીદોમાં રાબેતા મુજબ કરાઈ હતી ધોરાજી ના મૂસ્લીમ સમાજના લોકો દ્વારા ઈબાદત કરીને દૂઆઓ કરાઈ હતી ધોરાજીમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતી જળવાઈ રહે તે માટે ધોરાજી પીઆઇ હકૂમત સિહ જાડેજા પીએસઆઇ શૈલેષ વસાવા તેમજ મહિલા પી.એસ.આઇ નયનાબેન કદાવલા સહિતના પોલીસે સ્ટાફે સધન પોલીસ બંદોબસ્ત જાળવેલ હતો.

(5:58 pm IST)