સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

ઉના સ્વામિનારાયણ ગુરૂકુળમાં એમ.કોમ.ને મંજૂરી

ઉના : તાલુકા ક્ષેત્રે ગુરૂકુળમાં શિક્ષણ જગતે ઉચ્ચ શિક્ષણ એમ.કોમ.નો પ્રારંભ થઇ રહ્યો છે. ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢની મંજૂરી અને માર્ગદર્શન તળે કોમર્સ શિક્ષણ વિભાગમાં એમ.કોમ.નો પ્રારંભ થયો છે. ભગવાન સ્વામિનારાયણની પૂજા-પાઠ -આરતી વિધીની શરૂ થયેલા દિવસે ગુરૂકુળના અધ્યેષ્ઠા શાસ્ત્રી માધવદાસજી સ્વામીએ છેલ્લા ૧૫ વર્ષથી શરૂ થયેલી કોલેજ વિભાગની સિધ્ધીઓ જણાવી એમ.કોમ. ના શુભારંભને આવકાર્યો હતો અને આશીર્વાદ પાઠવ્યા હતા. તે તસ્વીર.

(11:31 am IST)