News of Friday, 30th October 2020
વલ્લભીપુરની ઘટનાઃ પત્નિના ત્રાસે પતિએ ફાંસો ખાઇ લીધો
ભાવનગર તા. ૩૦ :.. પત્નીના ત્રાસથી કંટાળી પતિએ ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધાનો બનાવ વલ્લભીપુરમાં બનવા પામ્યો છે.
વિગતો મુજબ વલભીપુરમાં દરબારગઢ વિસ્તારમાં રહેતાં આશુતોષભાઇ ધીરજલાલ મહેતા નામના યુવાને તેના ઘેર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વ્હોરી લીધી હતી. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકે લખેલી સ્યુસાઇટ નોટ મળી આવતાં આશુતોષભાઇએ લખેલી નોટમાં પોતે પત્નીનાં ત્રાસથી આ પગલુ ભરી રહ્યો હોવાનો ઉલ્લેખ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
મૃતક યુવાન આશુતોષનાં લગ્ન એક વર્ષ પહેલા ભદ્રાવળ ગામે રહેતી સુમનબેન નામની યુવતી સાથે લગ્ન થયા હતાં. મૃતક આશુતોષનાં માતા-પિતા દોઢેક વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યા હતાં. આ બનાવની તપાસ વલ્લભીપુર પોલીસ ચલાવી રહી છે.
(11:30 am IST)