સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th October 2020

સુરેન્દ્રનગર સરકારી કચેરીઓમાં આર્યુવેદીક ટેબ્લેટનું વિતરણ

વઢવાણઃ સુવિધા ફ્લેટ પરિવાર જોરાવરનગર દ્વારા સુરેન્દ્રનગર L.I.C ઓફિસમાં બ્રાન્ચ મેનેજર શ્રી પરમારની ઉપસ્થિતિમાં સમગ્ર સ્ટાફને કોરોના પ્રતિરોધક આયુર્વેદિક ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ માં ડો.અક્ષય રાવલ, નીતિનભાઈ, પ્રવીણભાઈ, નિરજભાઈ, મોહનભાઇ, જયભાઈ, રાકેશભાઈ, અશોકભાઈ, ભાવિનભાઈ, નિસર્ગભાઈ, રાહુલભાઈ, પ્રતિકભાઈ તથા સમગ્ર સુવિધા પરિવારે જહેમત ઉઠાવી હતી.

(11:24 am IST)