News of Wednesday, 30th October 2019
અમરેલીના વાતાવરણમાં પલટો : વડિયા પંથકમાં ધોધમાર વરસાદ : હનુમાન ખીજડિયામાં ભારે પવન સાથે કરા પડ્યા
કમોસમી વરસાદથી મગફળીના ખેતરોમાં તૈયાર પાકમાં પાણી ફરી વળ્યા
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો.આજે બપોર બાદ વડિયાના હનુમાન ખીજડિયા ગામમાં ભારે પવન ફૂંકાવાની સાથે કરા પડ્યા હતા
. વડિયા તેમજ આજુ બાજુના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા. કમોસમી વરસાદથી મગફળીના ખેતરોમાં તૈયાર પાકમાં પાણી ફરી વળ્યા છે.
(11:02 pm IST)