News of Tuesday, 30th October 2018
સતલાસણામાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત:પુત્રની હત્યા ગણાવી પિતાએ કરી ન્યાયિક તપાસની માંગણી
શાળા સંચાલકોએ કહ્યું પરીક્ષાના બોજને કારણે વિરલે આ પગલું ભર્યું
મહેસાણામાં સતલાસણા તાલુકાના કોઠાસણા ગામમાં ધોરણ-9માં ભણતાં વિદ્યાર્થીએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે
વિરલ પ્રજાપતિ નામનો આ વિદ્યાર્થી મૂળ બનાસકાંઠાના વડગામનો વતની હતો. જે મહેસાણાના કોઠાસણામાં યુ.કે.કોઠારી માધ્યમિક શાળામાં ભણતો હતો. અને શાળાની જ હોસ્ટેલમાં રહેતો હતો. હોસ્ટેલમાં તેની રૂમમાંથી ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો
શાળા સંચાલકોનું કહેવું છે કે વિરલે પરીક્ષાના બોજના કારણે આત્મહત્યા કરી છે. તે ઘણો નિરાશ હતો. તો તેના પિતાએ કહ્યું કે વિરલ ભણવામાં હોશિયાર હતો. તેને એવું કોઈ ટેન્શન ન હતું. તેમણે પુત્રની હત્યા ગણાવીને ન્યાયીક તપાસની માગ કરી છે. ત્યારે પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.
(8:50 pm IST)