News of Wednesday, 30th September 2020
પોરબંદર : કપાસનો પાક નિષ્ફળ ખેડૂતે કર્યો આપઘાતનો પ્રયાસ
ઘેડ વિસ્તારના ઓળદર ગામના ખેડૂતને કપાસનો પાક નિષ્ફળ જતા આર્થિક સંકળામણ ઉભી થઇ હતી
અમદાવાદ : સમગ્ર રાજ્યમાં કહેર મચાવી રહેલા કોરોના વાયરસના તમામ લોકોની હાલત દયનીય બની ગઈ છે, એમાંથી ખેડૂતો પણ બાકાત નથી, ત્યારે પોરબંદરમાં એક ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ ખેડૂતને કપાસનો પાક નિષ્ફળ જતા તેઓને આર્થિક સંકળામણ ઉભી થઇ હતી, જેથી તેઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે આ ખેડૂત પોરબંદરના ઘેડ વિસ્તારના ઓળદર ગામના રહેવાસી હતો. જો કે ત્યારબાદ ખેડૂત હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
(5:31 pm IST)