સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th July 2021

ઓરીસ્સા રાજ્યના ખુર્દા જીલ્લા મથક ખાતે સમાજના યુવાનો દ્વારા આપણા ખેડુત નેતા પૂ.વિઠલભાઈની પૂણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનુ આયોજન કરીને ૯૦ બોટલ રક્ત એકઠુ કરેલ હતુ.: જયેશભાઇ રાદડિયાએ ઓરિસ્સાના યુવાનોને અભિનંદન પાઠવ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ઓરીસ્સા રાજ્યના ખુર્દા જીલ્લા મથક ખાતે સમાજના યુવાનો દ્વારા આપણા ખેડુત નેતા પૂ.વિઠલભાઈની  પૂણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનુ આયોજન કરીને ૯૦ બોટલ રક્ત એકઠુ કરેલ હતુ.
આ તકે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા એ ઓરિસ્સાના યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને ઓરિસ્સા ની ધરતી ઉપર સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાને યાદ કરી તેમની  પુણ્યતિથિ ની ઉજવણી કરી અને રક્તદાન કરી માનવતા પૂરી પાડી છે તે બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા

(9:36 pm IST)