સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th July 2021

આજે ભાવનગર જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા નથી :૧ દર્દી કોરોનામુક્ત થયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૨૧,૪૨૭ કેસો પૈકી ૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ

( વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર :ભાવનગર જિલ્લામાં આજરોજ એકપણ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી.

 જ્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ પુરૂષ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
 આમ, જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૨૭ કેસ પૈકી હાલ ૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયેલ છે.

(8:25 pm IST)