સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th July 2021

વિસાવદર ખાતે કોર્ટ કેસ સબબ જ્યારે જ્યારે તારીખમાં જવાનું થશે ત્યારે ત્યારે ૫૦૦ લોકોને 'આપ'માં જોડીશ : પ્રવિણ રામ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩૦: આમ આદમી પાર્ટીનાં પ્રદેશ નેતા પ્રવીણ રામે જાહેર કર્યુ છે કે, વિસાવદર ખાતે કોર્ટ કેસ સબબ જયારે જયારે તારીખમાં જવાનુ થશે ત્યારે ત્યારે ૫૦૦ લોકોને 'આપ'માં જોડીશ.

પ્રવીણ રામનાં જણાવ્યા અનુસાર વિસાવદર તાલુકામાં વિવિધ ગામોનાં સરપંચ,પૂર્વ સરપંચ,ઉપસરપંચ તેમજ સભ્યો સહિત ૩૫૦ થી વધારે લોકોને આમ આદમી પાર્ટીમાં જોડયા હતા.વિસાવદર કોર્ટમાં તારીખ હોવાના કારણે વિસાવદર ખાતે જવાનું થયું ત્યારે આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા અમુક ગામોમાં શુભેચ્છા મુલાકાત લેવા માટે આગ્રહ કર્યો અને એટલા માટે એમના આગ્રહને ધ્યાનમાં રાખી મે વિસાવદર તાલુકાના દાદર,લાલપુર અને ભલગામ સહિતના લોકોની શુભેચ્છા મુલાકાત લેતા સરપંચ,ઉપસરપંચ,પૂર્વસરપંચ અને સભ્યો સહિત આ ત્રણેય ગામોના ૩૫૦ થી વધારે લોકોએ આમ આદમી પાર્ટીનો ખેશ ધારણ કર્યો હતો.હવે નક્કી કર્યું છે કે,જયારે જયારે કોર્ટની તારીખમાં વિસાવદર જવાનું થશે ત્યારે ત્યારે ૫૦૦ થી વધારે લોકોને ખેશ પેરાવી આમ આદમી પાર્ટીમાં આવકારી વિધિવત પ્રવેશ કરાવ્યો હતો.

(1:10 pm IST)